અમેરિકાને લઇ નવા વિદેશમંત્રી જયશંકર સામે સૌથી મોટા આ રહ્યા પડકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બીજી ઇનિંગ્સ માટે નવી કેબિનેટ તૈયાર કરી છે અને આ વખતે તેમણે વિદેશ મંત્રાલયમાં મોટા ફેરફાર કર્યા છે. આ વખતે પાછલી સરકારમાં વિદેશ મંત્રી રહેલા સુષ્મા સ્વરાજને મોદી મંત્રીમંડળમાં જગ્યા મળી નથી અને પીએમ મોદીએ વિદેશ મંત્રાલયની જવાબદારી પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને સોંપી છે. એસ.જયશંકરને વિદેશ મંત્રીની જવાબદારી આપવાથી સ્પષ્ટ છે કે નવી મોદી સરકાર ઇચ્છે છે કે વિદેશ સ્તર પર મોટા નિર્ણય લેવા માટે જયશંકર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે.
મંત્રીપદ સંભાળતા જ જયશંકરની પાસે પહેલો મોટો પડકાર એ છે કે ભારત-અમેરિકા સંબંધોને એક વખત ફરીથી રાહ પર લાવે. મોદીએ પોતાની પહેલી ઇનિંગ્સ દરમ્યાન અમેરિકાની સાથે સંબંધ મજબૂત બનાવા માટે ખૂબ મહેનત કરી હતી. પરંતુ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં જ્યારે મોદી સરકાર સામાન્ય ચૂંટણીઓમાં વ્યસ્ત હતી તો આ સંબંધોમાં કેટલુંક અંતર આવ્યું છે. બંને દેશોની વચ્ચે વ્યવસાયિક સંબંધોને લઇ ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નારાજગી કેટલીય વખત ખુલીને વ્યકત કરી છે.
છેલ્લાં 24 કલાકની જ વાત કરીએ તો અમેરિકા એ ભારતથી GSP ટ્રેડ (જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ)ને પાછા લઇ લીધા છે. અમેરિકન અધિકારીઓના મતે તેઓ (ભારત) આ ડીલને પૂરી કરવામાં અડચણ નાંખ્યું હતું. અમેરિકા ભારતની આ સામાન્ય ચૂંટણીઓની રાહ જોઇ રહ્યું હતું અને હવે તે થઇ ચૂકી છે અને આવતા એક-બે દિવસમાં તેની જાહેરાત થઇ જશે.
આ મહિનાના અંતમાં જાપાનના ઓસાકામાં G 20 સંમેલન થવાનું છે. આ સંમેલનની અંદર ભારત અને અમેરિકાના બંને નેતાઓ (પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ)ની મુલાકાત થવાની છે. આ વાતચીતથી પહેલાં મોદી ચોક્કસ ઇચ્છશે કે જે મુદ્દાને લઇ બંને દેશોના સંબંધોમાં અંતર આવી રહ્યું છે, તેના ઉકેલ શોધી લેવામાં આવ્યા. બંને નેતાઓની આ બેઠક પહેલાં અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો 26મી જૂનના રોજ ભારતીય વિદેશ મંત્રી જયશંકર સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરશે.
પૉમ્પિયો જી 20 સંમેલનમાં સામેલ થતાં પહેલાં ભારત આવશે. બંને દેશોની કોશિષ છે કે તેઓ જી20 સંમેલનમાં થનાર મુલાકાત પહેલાં કેટલાંક મુદ્દા પર એક-બીજાના વિચારની આપ-લે કરશે અને પછી તે નક્કી કરે કે ઓસાકામાં બંને દેશોની વચ્ચે સંબંધિત મુદ્દાઓ પર વાત બનવા લાયક છે કે નહીં. એસ.જયશંકરને અહીં હરદીપ પુરીનો સાથ મળશે, જે મોદી સરકારમાં આ વખતે વાણિજ્ય રાજ્ય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
ત્યારબાદ જયશંકરનો બીજો ટાસ્ક ભારતના પાડોશી દેશોની સાથે સંબંધ સાધવા પર હશે. મોદી પોતાની નવી ઇનિંગ્સના પહેલાં વિદેશ મુલાકાત પર 8 જૂનના રોજ માલદીવ રવાના થશે અને 9મી જૂનના રોજ શ્રીલંકા. નવી સરકાર બન્યા બાદ બંને પાડોશી દેશોની યાત્રા કેટલીય રીતે અગત્યની છે. મોદી દુનિયાને એ સંદેશો આપવા માંગે છે કે ફરીથી સરકારમાં આવ્યા બાદ તેઓ પોતાના નજીકના પાડોશીઓ અને પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.
ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી શાંઘાઇ કો-ઓપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)નો રૂખ કરશે. અહીં પાકિસ્તાન પણ ભાગ લેશે અને અંદાજો લગાવામાં આવે છે કે ભારત દ્વારા બાલાકોટમાં એર સ્ટ્રાઇક બાદ બંને દેશોના વડાપ્રધાન આ સંમેલનથી એકબીજા સાથે વાતચીત કરી શકે છે. ભારત-પાકિસ્તાન મુલાકાત પહેલાં ઘણું બધું એ વાત પર નિર્ભર કરશે કે જયશંકર અને અજીત ડોભાલ પાકિસ્તાન સાથેના સંબંધોને લઇ શું પ્લાન કરે છે.
પરંતુ આની પહેલાં અમેરિકાની સાથે વાતચીતને પાટા પર ફરીથી લાવવા માટે શું કરે છે, આ સૌથી ખાસ હશે. અમેરિકાની સાથે શરૂ થયેલ આપણો વેપાર વિવાદ સતત વધી રહ્યો છે. આ મુદ્દા પર બંને દેશોએ કેટલાંય રાઉન્ડની વાતચીત કરી છે પરંતુ તેમ છતાંય હજુ સુધી બંને કોઇ પરિણામ સુધી પહોંચ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમેરિકાને લઇ નવા વિદેશમંત્રી જયશંકર સામે સૌથી મોટા આ રહ્યા પડકાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/as-new-foreign-minister-s-jaishankar-will-have-to-bring-india-relation-with-us-and-neighbor-country/
via Best Gujarati News
0 Comments