રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ દ્વારા ખર્ચ ઘટાડવા અને ઓપરેટિંગ માર્જિન્સમાં સુધારો કરવા માટે તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો થયો હતો. જીઓએ કોન્ટ્રેક્ટ આધારિત કર્મચારીઓ સાથે કેટલાક કાયમી સ્ટાફને પણ છૂટા કરી દીધા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીએ ગ્રાહકોની કામગીરી સાથે સપ્લાય ચેઇન, માનવ સંશાધન, નાણા, વહીવટ અને નેટવર્ક જેવા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.

ઇટી દ્વારા મોકલેલા પ્રશ્નોના જવાબમાં, જીયોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે અમારા ગ્રાહક વ્યવસાયને વિસ્તૃત કરી રહ્યા છીએ અને જીઓ ઉદ્યોગમાં નેટ ભરતી કરનાર બની ગયા છીએ.” અમે કોન્ટ્રેકટરો સાથે પણ કામ કરી રહ્યા છીએ. જે અમારા વિવિધ પ્રોજેક્ટ્સ માટે નિયત સમયના કોન્ટ્રેક્ટ્સ પર કર્મચારીઓને ભાડે રાખી શકે છે. “

5000 ની છટણી કરી:
સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીએ આશરે 5,000 લોકોની છટણી કરી છે. તેમાંના લગભગ 600 કાયમી કર્મચારીઓ હતા. બાકીનો સ્ટાફ કરાર પર હતો. પરંતુ તે સ્વતંત્ર રીતે પુષ્ટિ થયેલ નથી.

ખર્ચમાં 8% નો વધારો:
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં, જીઓના એબીટ્ડા માર્જિનમાં 0.5 ટકાથી ઘટીને 39 ટકાનો થયો હતો. કંપનીના કુલ ખર્ચ લગભગમાં 8% નો વધારો થયો છે. વિશ્લેષકો કહે છે કે ટેલિકોમ કંપનીની એમ્પ્લોય કોસ્ટ 5-6% વચ્ચે હોય છે. ખર્ચ ઘટાડવા માટે, ટેલિકોમ કંપનીઓ ઘણીવાર ઉકેલ લાવવા આવા પગલાં લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રિલાયન્સ Jioએ કરી કર્મચારીઓની છટણી, આંકડો જાણી આંખો થઇ જશે પહોળી appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/massive-layoff-in-reliance-jio-contractual-and-permanent-staff-loses-job/
via Best Gujarati News

0 Comments