GPF પર વ્યાજની દર યથાવત, એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં મળશે આટલા ટકા વ્યાજ
કેન્દ્ર સરકારે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં જનરલ પ્રોવિડન્ટ ફંડ (જી.પી.એફ.) પર વ્યાજના દરોને યથાવત રાખ્યા છે. આ ઉપરાંત, અન્ય સંબંધિત સ્કીમ્સ પર વ્યાજના દરને અપરિવર્તિત રાખવામાં આવ્યા છે. એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં વ્યાજદર તે સમયે 8 ટકા રહેશે. જી.પી.એફ. પર વ્યાજ દર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) પર ચૂકવાતા વ્યાજ જેટલો જ છે. ઉલ્લેખનિય છે કે નાણાકીય વર્ષ 2018-19ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક સમયગાળા દરમિયાન જી.પી.એફ. પર વ્યાજ દર ફક્ત 8% હતો.
આર્થિક બાબતોના વિભાગ દ્વારા જારી કરાયેલી એક સૂચનામાં જણાવ્યું હતું કે, “સામાન્ય માહિતી માટે, જાહેરાત કરવામાં આવે છે કે વર્ષ 2019-20 દરમિયાન, જી.પી.એફ. અને અન્ય સામાન્ય બચત યોજનાઓમાં વ્યાજ દર 1 એપ્રિલથી 30 જૂન 2019 સુધીનો હતો. તે 1 એપ્રિલથી 30 જૂન, 2019 સુધી અસરકારક રહેશે.”
આ વ્યાજના દર કેન્દ્ર સરકારના કર્મચારીઓ, રેલવે તથા સંરક્ષણ દળના પ્રોવિડન્ટ ફંડને લાગુ પડશે. ગયા મહિને, સરકારે સેવિંગ સ્કીમ્સ જેવી કે નેશનલ સેવિંગ્સ સ્કીમ (એનએસસી) અને પીપીએફ જેવી નાની બચત યોજનાઓ પર ચાલુ વર્ષની પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન વ્યાજદર જાળવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post GPF પર વ્યાજની દર યથાવત, એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં મળશે આટલા ટકા વ્યાજ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/govt-retains-gpf-interest-rate-at-8-percent-for-apr-to-jun-quarter/
via Best Gujarati News
0 Comments