એક આંકડા પ્રમાણે લગભગ 2 કરોડ મુસાફરો દરરોજ ભારતીય રેલવેથી મુસાફરી કરે છે. પરંતુ તેમાંના ઘણા ઓછા લોકોને ખબર હશે કે તેમને ટ્રેન ટિકિટ પર એક રૂપિયા કરતાં ઓછી કિંમતમાં લાખો રૂપિયાનો વીમો પૂરો પાડવામાં આવે છે. આ સેવા આઈઆરસીટીસી દ્વારા બુકિંગ ટિકિટ પર ઉપલબ્ધ છે. અગાઉ આ સેવા મફતમાં ઉપલબ્ધ હતી, પરંતુ હવે તેની ન્યૂનતમ ફી વસૂલવામાં આવી રહી છે. આ નજીવી ફીમાં ટેક્સની રકમ પણ શામેલ છે.

આઈઆરસીટીસી ઓફર શું છે?

જો તમે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા ટિકિટો બુક કરો છો, તો તમને ટ્રેનની ટિકિટ સાથે 10 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે. આ માટે, મુસાફરોને ટ્રેન ટિકિટ સાથે 49 પૈસા ચૂકવવા પડશે, જે આ વીમાનું પ્રીમિયમ છે. આ માહિતી આઇઆરસીટીસીની સત્તાવાર વેબસાઇટ irctc.co.in પર ઉપલબ્ધ છે.

જો કે, આઇઆરસીટીસીની મુસાફરી વીમા સુવિધાના ફાયદા વૈકલ્પિક છે. જો મુસાફરો આઈઆરસીટીસીની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા ટિકિટો બુક કરે છે તો તેઓ મુસાફરી વીમા વિભાગમાં આ વિકલ્પ જોશે.

વીમામાંથી કોને લાભ મળે છે?

આ વીમાનો લાભ આરએસી અને કન્ફર્મ ટિકિટ થનારાઓને મળે છે. દાવો કેટલો મળશે તે અકસ્માતમાં થયેલા નુકસાન પર આધારિત છે. તે 5 વિભાગોમાં વહેંચાયેલું છે. તમે મૃત અવશેષો લઇને જાવ છો અને કોઇ અકસ્માત થાય છે તો તમને 10,000 રૂપિયાનો દાવો મળશે. તે જ સમયે, જો તમે ઇજાગ્રસ્ત થયા હોવ અને હોસ્પિટલમાં દાખલ થયા હોવ તો તમને રૂ. 2 લાખનો દાવો મળે છે. ટ્રેન ટ્રિપ દરમિયાન અકસ્માતમાં આંશિક અપંગતાના કિસ્સામાં રૂ. 7,50,000 નો દાવો મળે છે. જ્યારે તમે કાયમી અપંગતા અને અકસ્માતમાં મૃત્યુ કિસ્સામાં 10,00,000 રૂપિયાનો દાવો મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post 49 પૈસામાં મળે છે રૂપિયા 10 લાખનો વીમો, જાણો આ ખાસ ઓફર વિશે appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/do-you-know-irctc-offers-10-lakh-insurance-cover-on-train-ticket/
via Best Gujarati News

0 Comments