શેરબજારમાં નિરાશાનો માહોલ, સેન્સેક્સ −323 અને નિફ્ટી 11,641 પર બંધ
આજે દિવસના અંતે શેરબજારમાં કડાકો બોલાયો છે. જેમાં સેન્સેક્સ −323.82 અંક એટલે કે 0.83% ટકા ઘટીને 38,730.86 પર અને નિફ્ટી −84.35 અંક એટલે કે 0.72% ટકા ઘટીને 11,641.80 પર માર્કેટ બંધ થયું છે.
આજે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો વધારો મળ્યો હતો. પણ માર્કેટે સેન્સેક્સને 39,000ને પાર પહોંચાડી દિધુ હતુ. તેમજ આજે શેરબજારમાં ખુલતાની સાથે સેન્સેક્સ +71.24 અંક એટલે કે 0.18% ટકા વધીને 39,125.92 પર અને નિફ્ટી +29.80 અંક એટલે કે 0.25% ટકા વધીને 11,755.95 પર માર્કેટ ટ્રેડ થઇ રહ્યું હતુ.
ગઇકાલે શેરબજારમાં દિવસને અંતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં શેરબજારમાં સેન્સેક્સ +489.80 અંક એટલે કે 1.27% ટકા વધીને 39,054.68 પર અને નિફ્ટી +150.20 અંક એટલે કે 1.30% ટકા વધીને 11,726.15 પર માર્કેટ બંધ થયું હતુ. શેરબજારમાં ફરી ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. કારણ કે ફરી વખત સેન્સેક્સ 39,000ને પાર ગયું હતુ.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો વધારો જોવા મળ્યો હતો. જેમાં શેરબજારમાં સેન્સેક્સ +77.78 અંક એટલે કે 0.20% ટકા વધીને 38,642.66 પર અને નિફ્ટી +24.70 અંક એટલે કે 0.21% ટકા વધીને 11,600.65 પર માર્કેટ ટ્રેડ થઇ રહ્યું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શેરબજારમાં નિરાશાનો માહોલ, સેન્સેક્સ −323 અને નિફ્ટી 11,641 પર બંધ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-38730-nifty-11641/
via Best Gujarati News
0 Comments