બસ, એટલું જ કહીશ કે હવે અમે એ ફિલ્મ નથી કરતા!
ગુલાબજામુન છોડવાનું કારણ એ તો નથી કે અનુરાગની ફિલ્મ મનમર્ઝિયાં પીટાઈ ગઈ?
અમે ફિલ્મ છોડી એ વિષે જાતજાતની વાતો ચાલી રહી છે, પરંતુ એ સાચી નથી.
તો સાચી વાત શું છે?
બસ, એટલું જ કહીશ કે હવે અમે એ ફિલ્મ નથી કરતા.
એવું સાંભળ્યું હતું કે ફિલ્મની પટકથામાં કોઈ વાંધો હતો. અને એમાં સુધારો કરવાનું સૂચન કર્યું હતું?
હા, શરૂઆતમાં અમે પટકથામાં થોડાક સુધારા કરવાનું સૂચન કર્યું હતું. એ વાત માનીને અનુરાગે ૫૬ પટકથામાં સુધારા કરવાનું સૂચન કરી દીધું હતું અને પટકથામાં સુધારા વધારા ચાલુ કરી દેવામાં આવ્યા હતા.
તો પછી ફિલ્મ કેમ છોડી?
પછીથી અમે વિચારી જોયું અને લાગ્યું કે આ ફિલ્મ ન કરીએ એ જ સારૂં રહેશે.
પણ, અનુરાગ કશ્યપનું દિગ્દર્શન ખુબ ગમ્યું હોવાનું તેં જાતે કહ્યું હતું. પછી શું થયું?
આમાં કોઈ વ્યક્તિ જવાબદાર નથી ભાઈ. મેં કહ્યું એમ, અમને લાગ્યું કે આ ફિલ્મ અમે ન કરીએ એ જ સારૂં રહેશે.
આ ફિલ્મ સાઈન કરી ત્યારે પટકથા વાંચી હતી ખરી?
યુ સી, એમાં એવું છે કે આનંદ એલ. રાયે મને મનમર્ઝિયાં ફિલ્મ ઓફર કરી તો કનિકા ધિલ્લોંએ મને એની કથા સંભળાવી હતી. મને એની વાર્તા ગમી ગઈ હતી. પછીથી એની ઉપરથી પટકથા તૈયાર થઈ. પટકથા ગમી હતી. એ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યું. અમે સાથે કામ કરતા હતા ત્યારે અનુરાગે ગુલાબજામુનની કથા મને કહી હતી અને કહ્યું હતું કે તમે બંને (અભિ-એશ) આઠ વર્ષ પહેલાં ગુરૂ અને રાવણમાં સાથે ચમક્યા હતા. બંને ફિલ્મ સફળ થઈ હતી. હવે આઠ વર્ષ પછી ફરી તમે સાથે ચમકશો તો લોકોને તમારી જોડી જોવાનું આર્ક્ષણ થશે. વળી ફિલ્મની વાર્તા પણ બિલકુલ અફલાતૂન છે. ત્યારે લાગ્યું હતું કે વાત સાચી છે. એટલે અમે હા પાડી હતી. પરંતુ મનમર્ઝિયાંના શૂટીંગમાંથી નવરા પડયા પછી જ્યારે આ પ્રોજેક્ટ ઉપર નિરાંતથી વિચાર કર્યો તો લાગ્યું કે પટકથા બરાબર નથી. અનુરાગ સાથે વાત કરી તો એણે કહ્યું કે પટકથામાં તમે કહો એવા સુધારા કરાવી દઈએ. પરંતુ સુધારા સૂચવ્યા પછીય મન માનતું નહોતું.
તો હવે શું કરવા ધાર્યું છે?
જુઓ બે વર્ષનો બ્રેક મેં એટલા માટે જ લીધો હતો કે મારી કરિયરમાં મેં જે કંઈ કર્યું એમાં ક્યાં ક્યાં કચાશ રહી છે એ નિરાંતે શોધી શકું અને ભવિષ્યમાં એવી ભૂલોથી દુર રહી શકું. અલબત્ત નવી ભૂલો થઈ શકે, પરંતુ એની એ ભૂલ રીપીટ ન થાય એની ચોકસાઈ જરૂર કરીશ.
તો એવી ભૂલ ટાળવા માટે આ ફિલ્મ ગુલાજામુન છોડી દીધી?
તમે મારાં મોંમાં તમારાં શબ્દો ગોઠવી રહ્યા છોં. મેને એસા તો નહિ કહા ! ઓકે. ઈટ વોસ નાઇસ ટોક !
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બસ, એટલું જ કહીશ કે હવે અમે એ ફિલ્મ નથી કરતા! appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/the-bus-is-all-the-only-that-now-we-a/
via Best Gujarati News
0 Comments