ગરમીમાં તરબૂચ ખાવું દરેક લોકો પસંદ હોય છે. પરંતુ તરબૂચ ફીકુ કે કાચુ નીકળે જાય તો મજા બગડી જાય છે. એટલું જ નહીં, આજકાલ તરબૂચ પકવવા માટે ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી તમને બીમારીઓ થવા લાગે છે. પરંતુ શુ તમને ખ્યાલ છે કે કેવી રીતે તરબૂચ સારુ છે કે ખરાબ. તો આવો જોઇએ કેવી રીતે ઓળખી શકાય તરબૂચ સારુ છે કે ખોટું.પરંતુ શુ તમને ખ્યાલ છે કે કેવી રીતે તરબૂચ સારુ છે કે ખરાબ. તો આવો જોઇએ કેવી રીતે ઓળખી શકાય તરબૂચ સારુ છે કે ખોટું.

– તરબૂચ બહારથી પીળું હોવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક હોય શકે છે. તેનો મતલબ છે કે તરબૂચમાં નાઇટ્રેટ નામના તત્વ રહેલા છે. જે તમારા શરીરમાં ઝેર ફેલાવવાનું કામ કરે છે. જો તરબૂચ કટ કર્યા બાદ તેમાથી સફેદ રંગની ફીણ જેવું નીકળે તો તે ખાવા લાયક નથી.

– ખાસ કરીને લોકોને લાગે છે ફળ તેમજ શાકભાજીમાં રહેલા કાણા કીડા-મકોડાએ કર્યા છે. જ્યારે આ ધારણા પૂર્ણ રીતે ખોટી છે. જોકે, તરબૂચને પકવવા માટે અને લાલ કરવા માટે તેમા હોર્મોન્સને ઇંજેક્ટ કરવામાં આવે છે. જેને લઇને તરબૂચમાં છેદ કરવામાં આવે છે. એવામાં છેદ વાળા તરબૂચ ન ખરીદવા જોઇએ.

– ધ્યાન રાખો કે તરબૂચને હંમેશા ઉચકીને જુઓ, જો તરબૂચ વજનમાં હળવું છે તો તેને ના ખરીદો. હળવું તરબૂચ હંમેસા ઇન્જેક્શનથી તૈયાર કરવામાં આવેલું હોય છે. સ્પષ્ટ વાત છે કે પાણીથી ભરેલા ફળનું વજન હળવુ નથી હોતું. જેથી ભારે તરબૂચ જ ખરીદવું જોઇએ.

– કુદરતી રીતે ઉગનારું તરબૂચ બહારથી તાજુ અને શાઇનિંગ હોય છે. જેથી ક્યારેય ડાઘ-ધબ્બા વાળું તરબૂચ ના ખરીદો. બની શકે છે કે તે મીઠું ન હોય પરંતુ કાચુ અને ફીકુ નીકળે.

– અસલી અને નકલી તરબૂચની ઓળખ માટે તરબૂચના એક ટૂકડાને પાણીના ગ્લાસમાં ઉમેરી લો. જો તરબૂચ યોગ્ય હશે તો પાણીનો રંગ બદલાશે નહીં અને નકલી હશે તો પાણીનો રંગ હળવો ગુલાબી થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post તરબૂચ અસલી છે કે નકલી, આ છે તેને ઓળખવાની બેસ્ટ ટિપ્સ appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/watermelon-is-real-or-fake-make-these-5-easy-tips-to-recognize/
via Best Gujarati News

0 Comments