પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે કરી જબરદસ્ત મોટી કાર્યવાહી, મમતાના નજીકના ઓફિસરોની ‘ટ્રાન્સફર’
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના મનાતા ચાર આઇપીએસ ઓફિસરોની શુક્રવારના રોજ ટ્રાન્સફર કરી દીધી છે. ચૂંટણી પંચના આદેશ પ્રમાણે સીબીઆઈની વિરૂદ્ધ ધરણા દરમ્યાન દરેક સમયે મમતાની સાથે દેખાતા કોલકત્તાના પોલીસ કમિશ્નર અનુજ શર્માની પણ ટ્રાન્સફર થઇ ચૂકી છે. એક સૂત્રે કહ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કાયદાકીય વિકલ્પ સહિત અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે.
ઇલેક્શન ડ્યૂટીથી દૂર રહેશે ચારેય ઓફિસર
અનુજ શર્મા સિવાય પંચે બીજા ત્રણ પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર કરી દીધી અને રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો કે જે ચાર ઓફિસરોની ટ્રાન્સફર કરી દીધી છે, તેમને ચૂંટણી સંબંધિત કોઇ જવાબદારી સોંપી નથી. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મલય ડેના નામ લખી ચિઠ્ઠીમાં ચૂંટણી પંચે કહ્યું કે ટ્રાન્સફરનો આદેશ તત્કાલિક અસરથી લાગૂ થઇ ગયો છે.
કોની જગ્યાએ કોણ?
ચૂંટણી પંચે બિધાનનગરના પોલીસ કમિશ્નર જ્ઞાનવંત સિંહ, ડાયમંડ હાર્બરના એસપી એસ.સેલ્વમુરૂગન અને બીરભૂમના એસપી શ્યામ સિંહની પણ ટ્રાન્સફર કરી દીધી. પંચના સચિવ રાકેશ કુમારના નામથી રજૂ કરવામાં આવેલા પત્રમાં કહ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એડીજી ડૉ.રાજેશ કુમારને કોલકત્તાના નવા પોલીસ કમિશ્નર બનાવ્યા છે. જ્યારે એડીજી અને આઇજીપી (સંચાલન) નટરાજન રમેશ બાબૂના બિધાનનગરના પોલીસ કમિશ્નર બનાવ્યા છે.
24 કલાકમાં માંગ્યો રિપોર્ટ
પંચે બિધાનનગરના ડીસી અવન્નુ રવીન્દ્રનાથને બીરભૂમના નયા એસપી નિમણૂક કર્યા અને થર્ડ બટાલિયનના ડીસી કેએપી શ્રીહરિ પાંડને ડાયમંડ હાર્બરના એસપી તરીકે નિમણૂક કર્યા છે. ઉલ્લેખનીય છે કે ડાયમંડ હાર્બરથી મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા ડાયમંડ અભિષેક બેનર્જી ફરીથી ચૂંટણી મેદાનમાં છે જ્યારે બીરભૂમ અને બોલપુર લોકસભા ક્ષેત્રોમાં ભાજપને જબરદસ્ત સમર્થન પ્રાપ્ત થતું દેખાઇ રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે મમતા બેનર્જીની સરકાર તમામ વિકલ્પો તપાસી રહી છે, જેમાં કાયદાકીય વિકલ્પ પણ સામેલ છે. ધ્યાનમાં રહે કે એક સપ્તાહ પહેલાં આંધ્રપ્રદેશ હાઇકોર્ટે ચૂંટણી પંચના ઠીક આ રીતે નિર્ણય પર પ્રતિબંધ મૂકવાની ના પાડી દીધી હતી. આયોગે આંધ્રપ્રદેશના ત્રણ આઇપીએલ ઓફિસરોની ટ્રાન્સફર કરી દીધી હતી. જેમાં ડીજીપી પણ સામેલ હતા.
રાજીવ કુમાર પર પણ EC સાથે ટકરાઇ હતી મમતા
નામ ગુપ્ત રાખવાની શરત પર તૃણમૂલના એક નેતા એ કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી અત્યારે રાજ્યના ઉત્તરી ભાગમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે અને તેમણે પંચની ગતિવિધિઓની માહિતી છે. તૃણમૂલ નેતા એ કહ્યું કે મમતા આ મુદ્દા પર ઝડપથી કંઇ બોલશે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2016મા કોલકત્તાના તત્કાલીન પોલીસ કમિશ્ન રાજીવ કુમારની ટ્રાન્સરને ચૂંટણી પંચના આદેશનો ખુલીનો વિરોધ કર્યો હતો અને ચૂંટણી ખત્મ થતા જ રાજીવ કુમારને ફરીથી તે જ પદ પર પાછા લઇ લીધા હતા.
ભાજપે કરી હતી ફરિયાદ
ઉલ્લેખનીય છે કે કેન્દ્રની સત્તામાં આસીન ભાજપ પશ્ચિમ બંગાળ સરકાર પર ચૂંટણીમાં સરકારી મશીનરીના દુરૂઉપયોગની આશંકા વ્યકત કરી રહી છે. ભાજપના સિનિયર લીડર મુકુલ રોયે કોલકત્તા અને બિધાનગરના પોલીસ કમિશ્નરો ક્રમશ: અનુજ શર્મા અને શ્યામ સિંહની વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. જો કે એ ખબર નથી કે શું ડાયમંડ હાર્બર અને બીરભૂમના પોલીસ અધિક્ષકોની વિરૂદ્ધ ફરિયાદ કરાઇ હતી કે નહીં. ભાજપે બંગાળમાં હિંસાની આશંકા વ્યકત કરતા રાજ્યને અતિસંવેદનશીલ ક્ષેત્ર જાહેર કરવાની માંગણી કરી હતી. ધ્યાનમાં રહે કે પશ્ચિમ બંગાળમાં તમામ સાત તબક્કામાં મતદાન થવાનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
The post પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે કરી જબરદસ્ત મોટી કાર્યવાહી, મમતાના નજીકના ઓફિસરોની ‘ટ્રાન્સફર’ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/election-commission-removes-kolkata-police-commissioner-anuj-sharma/
via Best Gujarati News
0 Comments