1 એપ્રિલથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થવાની છે. આ નવા નાણાંકીય વર્ષમાં સામાન્ય લોકોને રાહત મળવાની છે. સાથે સાથે મોંઘવારીનો માર પણ પડશે. નવા નિયમથી એક બાજુ એપ્રિલમાં મોટા ફેરફાર થશે જેમાં ઇનકમ ટેક્સમાં રાહત મળશે. એનપીએસ વધારે આકર્ષક થશે. તો ચાલો જાણીએ પ્રથમ એપ્રિલથી શું સસ્તું થશે

– 1લી એપ્રિલથી ઘર ખરીદવાનું સસ્તું થશે. બાંધકામ હેઠલ હોય તેવા ઘરો પર 12ના બદલે 5 ટકા જીએસટી લાગશે. જ્યારે એફોર્ડેબલ હાઉસ પર જીએસટી દર આઠ ટકાથી ઘટાડીને એક ટકા કરી દેવામાં આવ્યો છે. જેનાથી ઘર બનાવવું સસ્તું થશે. જેનો ફાયદો ઘર ખરીદી કરવાનારને મળશે.

– પ્રથમ એપ્રિલથી જીવન વીમો ખરીદવો સસ્તો થશે. પ્રથમ એપ્રિલથી કંપનીઓ મૃત્યુદરના નવા આંકડાઓનું પાલન કરશે. પહેલા 2006-08ના ડેટાનો ઉપયોગ થતો તેના બદલે હવે 2012-14ના ડેટાનો ઉપયોગ થશે. આ ફેરફારનો સૌથી વધારે ફાયદો 22થી 50 વર્ષની વયના લોકોને થશે.

– 1લી એપ્રિલથી લોન પણ સસ્તી થઈ જશે. કારણ બેંકોએ એમસીએલઆરના બદલે આરબીઆઈના રેપો રેટ પરના આધારે લોન આપશે. જેથી તમામ પ્રકારની લોન સસ્તી થશે. એટલે રેપો રેટમાં ઘટાડાની સાથે લોનના દર પણ ઘટી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post 1લી એપ્રિલથી આ વસ્તુઓ થઈ જશે સસ્તી, જાણો કોને થશે ફાયદો appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/these-things-will-be-cheaper-than-april-1st/
via Best Gujarati News

0 Comments