રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી શનિવારે બદ્રીનાથ મંદિર દર્શન કરવા પહોંચી ગયા હતા. અહીં તેઓએ બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી) ને ચંદન અને કેસર ખરીદવા માટે રૂપિયા 2 કરોડની રકમ ભેટ આપી હતી.

આ અગાઉ બીકેટીસીના સીઇઓ બી.ડી. સિંહ ધર્મધિકારી અને અધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલે અંબાણીને શુભેચ્છા પાઠવી હતી. બદ્રીનાથ મંદિર પહોંચ્યા પછી, અંબાણીએ ભગવાન બદ્રીની ઉપાસના કરી અને દેશની સમૃદ્ધિ માટે કામના કરી હતી. તેમણે મંદિરના આંતરિક ગૃહમાં, ગીતાનો પાઠ પણ સાંભળ્યો હતો.

તેમણે ખાતરી આપી કે તમિલનાડુમાં ચંદનનાં જંગલોમાં, બીકેટીસી માટે તેમના પિતાના નામ પર જમીન ખરીદશે. તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરની મુલાકાત લેવા આવ્યા હતા.

છ મહિનાના અંત પછી, 10 મી મેના રોજ, ઉત્તરાખંડના ચંબોલીમાં આવેલ ભગવાન બદ્રીનાથના મંદિરના પટ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તેના એક દિવસ પછી એક એનઆરઆઈ દ્વારા 1.25 કરોડ રૂપિયાની કિંમતો મુકુટ અને મણીથી સજાવેલ છત્ર ચઢાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભગવાન બદ્રીનાથના દર્શને પહોંચ્યા મુકેશ અંબાણી, કરોડો રૂપિયાનું દાન કરી માંગી આ કામના appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/mukesh-ambani-visits-badrinath-temple-donates-2-crore-rupees/
via Best Gujarati News

0 Comments