અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે આ દેશમાં કયારેય શાંતિ રહેવા દેશો નહીં
સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સ્થળને અડીને આવેલ અવિવાદિત જમીન પર હાજર નવ પ્રાચીન મંદિરોમાં પૂજાપાઠની માંગણી કરનાર એક અરજીને શુક્રવારના રોજ નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે આ દેશને કયારેય શાંતિથી રહેવા દેશો નહી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું કે ત્યાં હંમેશા જ કંઇક થશે.
સુપ્રીમ કોર્ટે અલહાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચના 10મી જાન્યુઆરીના આદેશની વિરૂદ્ધ દાખલ કરાયેલી અપીલ પર સુનવણી કરવા દરમ્યાન આ કહ્યું.
જો કે સુપ્રીમ કોર્ટે ત્યાં નવ મંદિરોમાં પૂજા અર્ચના કરવા માટે તેની સહમતિ માંગતી એક અરજી રદ કરી દીધી હતી અને અરજીકર્તાને ખર્ચ પેટે 5 લાખ રૂપિયા પણ ભરવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે અપીલ પર સુનવણી કરતાં કહ્યું કે અરજીકર્તા પંડિત અમરનાથ મિશ્રાને આ મુદ્દાને કુરેદના બંધ કરવો જોઇએ. સામાજિક કાર્યકર્તા મિશ્રા એ સુપ્રીમ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે અધિકારી પ્રાચીન મંદિરોમાં ધાર્મિક ગતિવિધિઓ શરૂ કરવા પ્રત્યે આંખ મિચામણી કરી છે. આ મંદિર અયોધ્યામાં કબ્જામાં લેવામાં આવ્યું, પરંતુ અવિવાદિત જમીન પર છે. આપને જણાવી દઇએ કે કોર્ટે આ જમીન વિવાદના ઉકેલ માટે તાજેતરમાં જ મધ્યસ્થોની એક પેનલ રચી હતી.
મધ્યસ્થોને આ કેસના તમામ પક્ષકારો સાથે વાતચીત કરવા માટે 8 સપ્તાહની ડેડલાઇન આપવામાં આવી છે, જે 3 મેના રોજ ખત્મ થઇ જશે. મધ્યસ્થા કરનાર ટીમનું નેતૃત્વ રિટાયર્ડ જસ્ટિસ એફએમ ઇબ્રાહિમ કલિફુ્લ્લા કરી રહ્યા છે. આ સિવાય આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર અને સીનિયર એડવોકેટ શ્રીરામ પંચૂ પણ તેમાં સામેલ છે.
આ વીડિયો પણ જુઓ: તમિલનાડુના થેનીમાં PM મોદીની સભા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે આ દેશમાં કયારેય શાંતિ રહેવા દેશો નહીં appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/youll-not-let-india-be-in-peace-supreme-court-refuses-puja-at-ayodhya/
via Best Gujarati News
0 Comments