રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા ગુરુવારે મોનિટરી રીવ્યૂ હેઠળ પોલિસી રેટ્સમાં 0.25 ટકા ઘટાડો કરી શકે છે. જો આરબીઆઇ આમ કરે તો તે સતત ત્રીજી વખત હશે જ્યારે તે વ્યાજ દર ઘટાડે છે. જાણકારોનું કહેવું છે કે 2018-19ના ચોથા ત્રિમાસિક ગાળાનો આર્થિક વૃદ્ધિ દર પાંચ વર્ષની નીચી સપાટીએ આવ્યો છે, જેના કારણે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરાય તેવી આશા છે.

આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) ગુરુવારે ચાલુ નાણાકીય વર્ષની બીજી દ્વિમાસિક મોનિટરી સમીક્ષા કરશે. નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારના બીજા કાર્યકાળમાં આ પહેલી મોનિટરી સમીક્ષા હશે. પાછલી બે બેઠકોમાં પણ એમપીસી પોલિસી રેટમાં ચતુર્થ-ચતુર્થ ટકાવારી પ્રમાણે ઘટાડો કરી ચુકી છે.

ઉલ્લેખનિય છે કે આજે રિઝર્વ બેંક (RBI) દ્વારા નાણાકીય સમીક્ષા નીતિની જાહેરાત કરવામાં આવશે. બજારને કેન્દ્રિય બેંક પાસે વધુ આશા છે. માનવામાં આવી રહ્યું છે કે રેપો રેટમાં 25 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે. પરંતુ બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ (બોફાએમએલ)ના રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવારી સંતોષજનક સ્તર પર છે. જેના લીધે કેન્દ્રિય બેંક પરંપરાગતથી હટીને વ્યાજદરોમાં થોડો વધુ ઘટાડો કરી શકે છે. પરંપરાગત રીતે રિઝર્વ બેંક 25 પોઇન્ટ અથવા 50 પોઇન્ટનો ઘટાડો કરે છે અથવા પછી વધારો કરે છે.

હાલમાં રેપો રેટ 6 ટકા અને રિવર્સ રેપો રેટ 5.75 ટકા છે. એવામાં 25 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી છે તો રેપો રેટ 5.75 ટકા અને રિવર્સ રેપો રેટ ઘટીને 5.50 ટકા પર આવી જશે. થોડા દિવસો પહેલાં સરકાર દ્વારા GDP વિકાસ દરનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2018-19 ની અંતિમ ત્રિમાસિકમાં વિકાસ દર ઘટીને 5.8 ટકા પર આવી ગયો, જ્યારે આખા વર્ષ દરમિયાન તેના 6.8 ટકા રહેવાની આશા છે. આ પહેલાં નાણાકીય વર્ષ 2017-18ની ચોથા ક્વાર્ટરમાં જીડીપી વિકાસ દર 7.2 ટકા રહ્યો હતો.

જોકે, વર્લ્ડ બેંકે આગામી દિવસોમાં ભારતીય અર્થવ્યવસ્થાને લઇને સકારાત્મક રિપોર્ટ આપવામાં આવ્યો છે. વર્લ્ડબેંકના પ્રમાણે આગામી ત્રણ વર્ષ સુધી ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.50 ટકા રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોદી સરકારના રાજમાં RBI વ્યાજ દર બાબતે આપશે મોટી ભેટ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/experts-say-rbi-may-cut-interest-rate/
via Best Gujarati News