બોલિવૂડના લેટેસ્ટ લવ બર્ડ્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વાતો વચ્ચે એક નવી જ ઈન્ટરેસ્ટિંગ વાત સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે આ વર્ષે રણબીર અને આલિયાના લગ્ન નહીં થાય. પણ પોતાની રિલેશનશીપને એક સ્ટેપ આગળ લઈ જવા માટે રણબીર અને આલિયા લિવ-ઈનમાં રહેવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. પણ મજાની વાત તો એ છે કે આ કપલની સાથે રહેવાનું કારણ રણબીરની માતા નીતૂ કપૂર છે.

હાલ તો રણબીર કપૂર પોતાના પેરેન્ટ્સ સાથે બ્રાંદ્રામાં રહે છે. સુત્રો અનુસાર, નીતૂ કપૂરે રણબીર કપૂરને આલિયા ભટ્ટ સાથે રહેવાની સલાહ આપી છે. માતાના સૂચન બાદ રણબીર અને આલિયાએ નવા એપાર્ટમેન્ટની તલાશ શરૂ કરી દીધી છે. હાલમાં જ રણબીર-આલિયાની સાથે નવી પ્રોપર્ટીની તલાશ કરતો હોય તેવો ફોટો પણ સામે આવ્યો હતો.

લિવ-ઈનમાં રહેવાની ખબરો પર મૌન તોડતાં આલિયાએ કહ્યું હતું કે, અમે બંને ઓફિસ માટે નવી પ્રોપર્ટી જોવા ગયા હતા. આ પ્રોપર્ટી મારા નવા પ્રોડક્શન હાઉસ ઈટરનલ સનશાઈન પ્રોડક્શન માટે હશે.

રણબીર અને આલિયાના પ્રેમની ચર્ચા ચારેબાજુ ચાલી રહી છે. હાલમાં જ થયેલાં એક એવોર્ડ શોમાં બંને બચ્ચેની નિકટતા જોવા મળી હતી. એક એવોર્ડ શોમાં આલિયાએ બધાની વચ્ચે રણબીર કપૂર માટે પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. એવોર્ડ લીધા બાદ સ્પીચ આપતાં આલિયાએ રણબીરને ‘આઈ લવ યુ’ કહ્યું હતું.

રણબીર અને આલિયા આ વર્ષે રિલીઝ થનાર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ ફિલ્મની શૂટિંગ દરમિયાન જ બંનેની લવ સ્ટોરી શરુ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post OMG: આલિયા અને રણબીર લગ્ન પહેલાં રહેશે લિવ-ઇનમાં appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/alia-bhatt-and-ranbir-kapoor-will-remain-in-live-in-relationship-before-marriage/
via Best Gujarati News