લાંચિયા અધિકારીઓ પર ACBનો સકંજો યથાવત, મનરેગાનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
લાંચિયા અધિકારીઓ પર ACBનો સકંજો યથાવત રહ્યો છે. દાહોદમાં સંજેલી તાલુકા પંચાયતનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. મનરેગા શાખાનો કર્મી અને તેનો વચેટિયો રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયા છે. દાહોદમાં લાંચીયા ઓફીસર પર સકંજો કસાયો છે. સંજેલી તાલુકા પંચાયતના મનરેગા શાખાનો કર્મચારી રૂપિયા 20,000 ની લાંચ સ્વિકારતા તેની ધરપકડ કરાઇ છે. લાંચના નાણા ફોનથી માંગવામાં આવ્યા હતા. અને તેને સ્વિકારવા વચોટીયો આવ્યો હતો. જેમાં તે બન્ને ફસાયા હતા.
દાહોદ એસીબી અધિકારી તથા સ્ટાફે છટકુ ગોઠવી સંજેલી તાલુકા પંચાયતની મનરેગા શાખામાં ટેકનીકલ આસીસ્ટન્ટ તથા ખાનગી વ્યક્તિને વીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
ફરીયાદ કરનાર સંજેલીના આગેવાનના પિતાના નામે સર્વે નં. 207 વાળી જમીનમાં અગાઉ જુથ કુવો મંજુર થયો અને કામ પૂર્ણ થતા રૂપિયા મળી ગયા હતા. પરંતુ જે રૂપિયા મળવાના બાકી હતા. તેમજ ભવિષ્યમાં બીજા કામો કરાવવા સંજેલી તાલુકા પંચાયતની મનરેગા શાખામાં ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર નરેન્દ્રભાઇ બાકલીયા રહે. અનાસ તા.જી. દાહોદના અવારનવાર લાંચના રૂપિયા માટે ફરીયાદીને ફોન કરી માંગણી કરતા હતા.
આ સંબંધે દાહોદ એ.સી.બી. પો. સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ નોંધાવતા દાહોદ એ.સી.બી. પી.આઇ. એ. કે. વાઘેલા સુપરવિઝન અધિકારી પી.એમ. પરમાર તથા સ્ટાફે છટકુ ગોઠવી સંજેલી તાલુકાના હિરોલા ગામે ફરીયાદીના ઘરેથી રૂપિયા વીસ હજાર ધર્મેન્દ્ર બાકલીયાએ લઇ સાથે આવેલા બકુલ બચુભાઇ વસૈયાને આપતા એસીબીએ રૂપિયા રીકવર કરી બંનેની અટક કરી કાયદેસરથી કાર્યવાહી હાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post લાંચિયા અધિકારીઓ પર ACBનો સકંજો યથાવત, મનરેગાનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/acb-arrested-mgnrega-yojana-officer-in-bribe-case/
via Best Gujarati News
1 Comments
*MGNAREGAના કર્મચારીઓનું કૌભાંડ*
ReplyDeleteલુણાવાડા તાલુકાના હિન્દોલીયા ગામમાં 2017ની સાલમાં MGNAREGA હેઠળ 2 જાહેર શૌચાલય મંજૂર થયાં હતાં. જે ગામમાં કોઇપણ જગ્યાએ બનાવવામાં આવ્યાં નથી તેમ છતાં 2 જાહેર શૌચાલય બનાવવામાં આવ્યાં છે એવું MGNAREGA ની વેબસાઈટ ઉપર બતાવે છે તો ગામના તમામ લોકોને એ પ્રશ્ન ઊભો થાય છે કે હિન્દોલીયા ગામમાં 2 જાહેર શૌચાલય બની ગયેલા બોલતા હોય તો કઈ જગ્યાએ બનાવવામાં આવ્યાં છે કે ખાલી સરકારી કાગળો માં દર્શાવીને કર્મચારીઓએ ગ્રાન્ટ 96000 રુપિયા ઉપાડી લીધી હશે.
તે અંગે ગામના જાગૃત નાગરિક તરીકે રમણભાઈ બી બારીઆ દ્વારા તપાસ કરાવવામાં આવી તો જાણવા મળ્યું કે હિન્દોલીયા ગામમાં કોઈ નવું જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું જ નથી પરંતુ એજ સાલમાં 2 પાર્ટીએ પોતાના ઘર વપરાશ માટે પોતાના ખર્ચેથી શૌચાલય બનાવ્યા હતા. તે જ શૌચાલયને MGNAREGA ના કર્મચારીઓ બતાવી રહ્યા છે કે અમે બનાવ્યા છે. તો ખાસ પ્રશ્ન એ ઊભો કે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યાં હોત તો જાહેર જગ્યાએ બનાવવામાં આવ્યાં હોત નહીં કે કોઈ વ્યક્તિના પોતાના ખર્ચે બનાવેલ શૌચાલયને જાહેર શૌચાલય બતાવીને ગ્રાન્ટ હજમ કરવામાં આવી હોય.
આમ આવા કર્મચારીઓના પાપે ગામની સામાન્ય પ્રજાને મળતી સગવડોનો લાભ મળી શકતો નથી.